STORY OF PARTITION OF INDIA (GUJARATI)
સનાતન ગાંધી – ડૉ. ગુણવંત શાહ (ભાગ ૨) December 31st, 2014 | પ્રકાર : સાહિત્ય લેખ | સાહિત્યકાર : | 2 પ્રતિભાવો » (‘જનકલ્યાણ’ સામયિકમાંથી સાભાર) (૩) મહાત્મા મહાત્મા જ રહ્યા, ઝીણા ઝીણા જ રહ્યા ! ક્રાંતિ સાથે થોડાક શબ્દો જોડાઈ ગયા છે : બળવો, મશાલ, કતલ, યુદ્ધ, સત્તાપલટો અને યાતના. આવું કશુંક જેમાં ન હોય તે ઘટનાને ક્રાંતિ તરીકે જોવાની કે સમજવાની આપણને ટેવ નથી. ક્રાંતિ એટલે જ વિચારક્રાંતિ. આવી એક શાંત ક્રાંતિની શરૂઆત ગુજરાતના ગોધરા જેવા નાના નગરમાં થઈ. એ વિચારક્રાંતિના અધ્વર્યુ મોહનદાસ કરમચંદ ગાંધી હતા. ઘટના બની સન ૧૯૧૭માં. ક્રાંતિની વાર્તા સાંભળવા જેવી છે. કોંગ્રેસના અધિવેશનો બાદ કરતાં આટલા બધા મહાનુભવો ભાગ્યે જ કોઈ નાના નગરમાં એકઠા થયા હશે. સન ૧૯૧૭માં રશિયન ક્રાંતિ થઈ, એ જ અરસામાં ગોધરામાં પ્રથમ રાજકીય પરિષદ ભરાઈ. એમાં લોકમાન્ય ટિળક, મહંમદઅલી ઝીણા, વિઠ્ઠલભાઈ પટેલ, આચાર્ય કૃપાલાની અને વલ્લભભાઈ પટેલ હતા. ગાંધીજી પરિષદના પ્રમુખ હતા. તેઓ હજી ‘મહાત્મા’ તરીકે બહુ જાણીતા થયા ન હતા. ગાંધીજીનો આગ્રહ હતો કે પરિષદનું કામ હિંદી કે બીજી ભારતીય ભાષામાં ચાલે, પણ અંગ્રેજીમાં તો ન જ ચાલવું